શિક્ષક હોવું એટલે……….(1)
5 સપ્ટેમ્બર એ શિક્ષક દિન તરીકે ઉજવાય છે. વરસો પહેલાં રજનિશનું એક વાક્ય યાદ આવે છે કે શ્રી સર્વપલ્લિ રાધાકરુષ્ણ કે જેઓ એક શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ બન્યાં હતાં તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.. રજનિશનાં મત પ્રમાણે આતો રાષ્ટ્રપતિનું ગૌરવ કહેવાય. એક રાષ્ટ્રપતિ જો શિક્ષક બને તો જ શિક્ષકનું ગૌરવ ગણાય.ખેર જે હોય તે પણ શિક્ષક દિન જ્યારે આપણે ઉજવતાં હોઇએ ત્યારે એક શિક્ષક માટે એ વિચારવાનો દિવસ ખરો. શિક્ષક હોવું એટલે શું? આ તબ્બકે માનનિય મુખ્યમંત્રીશ્રી એ એક વાક્ય ગયાં ગુણોત્સવ વખતે કિધું હતું કે “શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે ઓગળવું પડે,પિગળવું પડે,અનુકૂળ પડવું બને.”શિક્ષક એ સમાજમાં સૌથી વધુ જવાબદારી વહન કરતો એક સામાજીક વ્યકતી છે. સમાજ એક આશાની લાગણીથી તેની સામે જુએ છે. આ એક એવો વ્યવસાય છે કે ડગલે ને પગલે તેમાં તેનું સમાજ દ્વારા નિરીક્ષણ થાય છે,અને ભાવી પેઢીમાં સમગ્ર શિક્ષક સમાજનાં સંસ્કારોનું વધતે ઓછે અંશે આરોપણ થાય છે.જો કે આ એકદમ ધીમી બનતી પ્રકિયા છે, એટલે આપણું ધ્યાન ઓછું જાય છે. શિક્ષક મિત્રો આપણે વર્ગખંડમાં એતો ભણાવીએ છીએ કે પરિવર્તન એ એક સંસારનો નિયમ છે,આજે આપણે ટેકનોલોજીનાં યુગમાં જીવીએ છીએ. આપણે સતત નવાં નવાં જ્ઞાનથી માહિતગાર રહેવું જોઇએ પરંતુ જો તમે એક શિક્ષક હો તો તમારી જાતને એક વાર તો જરુર પુછજો કે હું શિક્ષક તરીકે બદલાયો ખરો?મે મારાં વર્ગખંડનાં બાળકોને કંઇ નવિનતાથી શિખવવાનો પ્રયાસ કર્યો કદી. મે મારાં જ્ઞાનમાં હકારાત્મક વધારો કર્યો કદી ?મારાંમા કંઇ પરિવર્તન આવ્યું મિત્રો આ કોઇ શિક્ષક સમાજ પર હું કોઇ આક્ષેપ નથી કરતો પણ હું ફક્ત આત્મમંથન કરવા કહું છું ,કારણ કે ફકત આપનો જ ડે ઉજવાય છે ક્યાંય કલેકટર ડે કે પછી વકિલ ડે ઉજવાતો નથી એટલે આપણી પણ જવાબદારી બને કે આપણે પણ સમાજને જે આપીએ તે શ્રેષ્ઠ આપીએ.. મોટા ભાગનાં શિક્ષકો નવું કશું જ વાંચતા જ નથી એટલે એઓ પોતાનાં વર્ગખંડમાં બાળકોને વર્તમાન જ્ઞાન પિરસવામાં સદા નિષ્ફળ જાય છે. મેં ઘણાં શિક્ષકોને સુચન કર્યું કે તમે આ પુસ્તકો વાંચો તમારૂ જ્ઞાન વધશે તેમાંથી મોટાભાગના એ એવો જવાબ આપ્યો કે અમારી પાસે સમય નથી શિક્ષક પાસે વાંચવાનો સમય નથી. શિક્ષક પાસે વાંચવાનો સમય નહિં હોય તો કોની પાસે હશે? આ ઉપરાંત ઘણાં શિક્ષકો મને એવી પણ ફરિયાદ કરે છે કે સાહેબ અમે કામ તો ખુબ જ સરસ કરીએ છીએ પણ અમારી કદર કોઇ કરતું નથી. ત્યારે મારાં મનમાં એક સવાલ એ પણ થાય કે કોઇ આપણી કદર કરે તો જ આપણે કામ કરવાનું ?અને આપણે મફત કામ કરીએ છીએ? પગાર તો મળે છે પછી કદરની જરુર શું? તમે સારું કામ કરો દરેક બાળક સાથે પ્રેમથી વ્યવહાર કરો તેનાં સુખ અને દુ:ખમાં તમે ભાગીદાર બનો એટલે તમને આત્સંતોષ થાય જ.શું આત્સંતોષ થી એ કોઇ મોટી કદર હશે આ દુનિયામાં અને મિત્રો તમે એક વખત સારા શિક્ષણકાર્ય શરૂ કરી તો જુઓ પછી તમને એક ઔલૌકિક આત્મસંતોષની અનૂભુતી જરુર થશે..
શિક્ષક હોવું એટલે …
http://rachanaa.wordpress.com/2010/01/31/શિક્ષક/ જેવું!
સુંદર લેખ શિક્ષક મહોદય..!
આશા છે આપને આ ગમશે :
વંદન સહ
– જગત
આભાર !!!! આપનો બ્લોગ પણ ખુબજ સરસ છે..
આદરણીય શ્રીમુકેશભાઈ,
આપનું બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે.
આશા છે શિક્ષણના અને તે ઉપરાંત સાંપ્રત સમાજને અસર કરતી સમસ્યાઓનું,
પોસ્ટમૉર્ટમ કરતા, અન્ય લેખ પણ, સહુને માણવા અવશ્ય મળશે?
આપનું વિચાર જગત સુંદર છે.અભિનંદન.
માર્કંડ દવે.
નમસ્તે!!!!!!!!!!!! દવે સાહેબ આપશ્રીનો આભાર!!!! ચાલો ત્યારે મળતાં રહેજો!!!!!